Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભટ્ટની રિમાંડ રિવિઝન અરજી પર 30મીએ ચુકાદો

ભટ્ટની રિમાંડ રિવિઝન અરજી પર 30મીએ ચુકાદો
અમદાવાદ , મંગળવાર, 11 ઑક્ટોબર 2011 (15:41 IST)
આઈપીએસ અધિકરી સંજીવ ભટ્ટને સાત દિવસના રિમાંડ પર મેળવવાની રાજ્ય સરકારની અરજી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એ ફગાવી દીધા બાદ સરકારે રિમાંડ રિવિઝન અરજી ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ કરી હતી. જે અરજી ટકવાને પાત્ર છે કે તે અંગેના સવાલ ઉભા થવા પામ્યા હતા. જે અરજી પર પત્રકારોની સુનાવણીના અંતે ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ જી.એન પટેલ એ અરજી પર પોતાનો નિર્ણય 30મીએ જાહેર કરશે.

ગોધરા ટ્રેનકાંડ બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં હિન્દુઓને પોતાનો રોષ ઠાલવવા દેવાની સૂચના આપવામાં આવી હતી. તે અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવીટ કરી સરકર સામે સીધે સીધો ગંભીર આક્ષેપ કરનારા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની તાજેતરમાં કે.ડી પંથને ખોટા સોગંધનામા કરાવવાના પ્રકરણમાં ધરપકડ કરી સાબરમતી જેલના હવાલે કરવામાં આવ્યા છે.




Share this Story:

Follow Webdunia gujarati