પોરબંદરમાં શ્રાવણમાસના પ્રથમ સોમવારે 1111 શિવલિંગ !!
પોરબંદર , મંગળવાર, 13 ઑગસ્ટ 2013 (12:19 IST)
:
પોરબંદરના યુવાનોએ દરિયાકિનારે ચોપાટી ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે 1111 શિવલિંગ અને એક મહાશિવલિંગ બનાવતાં આકર્ષણ ઊભું કર્યું છે. રાત-દિવસની મહેનતથી સાત યુવાનોએ આ રીતે શિવજી પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી છે.આ શિવલિંગ માટે આ યુવાનોએ સતત 40 કલાક કામ કર્યું હતું. તોફાની પવનના લીધે વારંવાર બનાવેલા શિવલિંગ નષ્ટ થઈ જતાં હતાં. જેને કારણે યુવાનોએ 1111 શિવલિંગ બનાવવા માટે લગભગ 1500 શિવલિંગ બનાવવા પડ્યા હતાં.આ શિવલિંગમાંથી એક મહાશિવલિંગ બનાવવામાં આવ્યું હતું અને એનું પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા શિવલિંગ જે તે સમયે આ જ રીતે બનાવીને પ્રસ્થાપિત કરવામાં આવ્યાં હોવાથી યુવાનો દ્વારા હસ્તબનાવટનાં આ શિવલિંગ બનાવવામાં આવ્યાં હતાં.યુવાનોએ આ શિવલિંગનાં દર્શનાર્થે આવનારાઓ દ્વારા જે કોઈ ફાળો એકત્રિત થશે એ ફાળો પોરબંદરના શારિરિક રીતે અશક્ત લોકોના આશ્રમને દાન આપી દેવાનો પણ સંકલ્પ કર્યો છે.