Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોરબંદરના મિશાલ-1 જહાજની જળસમાધી, 4 કરોડનું નુકશાન

પોરબંદરના મિશાલ-1 જહાજની જળસમાધી, 4 કરોડનું નુકશાન
, સોમવાર, 29 ઑગસ્ટ 2016 (14:04 IST)
શારજહાથી જુના વાહનો ભરીને ઓમાન જતું પોરબંદરનું જહાજ મિશાલ-1 દરિયામાં ભેખડ સાથે ટકરાતાં દરિયામાં ડૂબી ગયું હતું. આ જહાજમાં રહેલા ચાલકદળના 11 જેટલાં સભ્યોને માછીમાર લોકોએ બચાવી લીધા હતાં.1000 ટન વજન ધરાવતા અને 4 કરોડની કિંમત ધરાવતું આ જહાજ ડૂબી જતાં વહાણ માલિકને મોટો આર્થિક ફટકો પડ્યો હતો.આ જહાજ વર્ષ 2001-02 માં બનાવવામાં આવ્યું હતું જેનું વજન આશરે 1000 ટન જેટલું હતું. શારજાહથી 400 ટન જુના વાહનો ભરીને ઓમાન તરફ જતું હતું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી જેને કારણે અંદાજે 4 કરોડનું નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભીખુભાઈ લોઢારીના કુલ 3 જેટલા જહાજો છે તે પૈકીના એક જહાજે વર્ષો પહેલા જળસમાધી લીધી હતી તેના વિમાની રકમ પણ હજુ મળી નથી ત્યાં બીજા જહાજે જળસમાધી લઈ લેતાં જહાજમાલિક આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરાં તેમજ મલ્ટિપ્લેક્સ બનશે