Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદી મણિનગરથીજ ચૂંટણી લડશે

નરેન્દ્ર મોદી મણિનગરથીજ ચૂંટણી લડશે

વેબ દુનિયા

વડોદરા , બુધવાર, 24 ઑક્ટોબર 2007 (10:21 IST)
વડોદરા (વેબદુનિયા) વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમની મણિનગર બેઠક ઉપરથી જ ચૂંટણીમાં જંપલાવશે તેવી જાહેરાત કરી ભાજપના પ્રભારી ઓમ માથુરે નરેન્દ્ર મોદી કયાંથી ચૂંટણી લડશે તે અંગે થઇ રહેલી વિવિધ અટકળોનો અંત લાવી દીધો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં યુવા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ભાજ્પના પ્રદેશ પ્રભારી ઓમ માથુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોદી અન્ય કયાંયથી પણ નહીં પણ મણિનગર બેઠક ઉપરથી જ ચૂંટણી લડશે. નરેન્દ્ર મોદી વડોદરાની રાવપુરા બેઠક ઉપરથી ચૂંટણી લડવાના છે તે અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં માથુરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, એક તરફ અખબારો મોદીને ગાંધીનગરથી દિલ્હી જઇ રહ્યા હોવાના અહેવાલો પ્રસિદ્ધ કરે છે. બીજી તરફ મોદી મણિનગર બેઠક છોડી ગાંધીનગર અને રાવપુરા બેઠક ઉપરથી ચૂંટણી લડવાના છે તેમ પ્રસિદ્ધ કરે છે પરંતુ મોદી મણિનગર બેઠક ઉપરથી જ ચૂંટણી લડશે. આમ, માથુરે મોદીની બેઠક અંગે ચાલતી વિવિધ અટકળો અને ચર્ચાઓ ઉપર ફૂલસ્ટોપ મૂકી દીધું હતું.

Share this Story:

Follow Webdunia gujarati