Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદીની સભા પર મંડરાતો ખતરો

નરેન્દ્ર મોદીની સભા પર મંડરાતો ખતરો

ભાષા

અમદાવાદ , મંગળવાર, 13 ઑક્ટોબર 2009 (11:37 IST)
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મંગળવારે વસ્ત્રાલ ખાતે યોજાનારી સભામાં જુહાપુરાના બે શખ્સો સાયલેન્સરવાળી રિવોલ્વર લઈને આવવાના છે તેવા સમાચારો વહેતા થતા સમગ્ર ગુજરાતનું પોલીસ તત્ર સાવચેત થઈ ગયું છે. સમાચારને પગલે તમામ પોલીસસ્ટેશનને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે મળસ્કે શાહીબાગ ખાતે આવેલી પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલરૂમ પર એક નનામો ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારા વ્યક્તિએ કહ્યું હતું કે, મંગળવારે વસ્ત્રાલ ખાતે યોજાનારી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં જુહાપુરાથી કાળાં વસ્ત્રો પહેરેલા બે શખ્સો ( બંને નામ પણ આપ્યાં છે) સાયલેન્સરવાળી રિવોલ્વર લઈને નિરીક્ષણ માટે આવવાના છે.

આ ફોનને અત્યંત ગંભીરતાથી લઈને પોલીસ કંટ્રોલરૂમે તુરત જ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના કેટલાક પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ અને એ ટી એસ ( એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)ને તકેદારી રાખવાનો આદેશ આપ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati