Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીયરગેસ ન-કામના થયા હવે છોડાશે મીરચી ગેસ

ટીયરગેસ ન-કામના થયા હવે છોડાશે મીરચી ગેસ
, શનિવાર, 29 નવેમ્બર 2014 (18:03 IST)
અમદાવાદ શહેર પોલીસ પાસે રહેલા આધુનિક સાધનો છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઇ રહ્યા હતા આથી શુક્રવારે વહેલી સવારે પરેડ વખતે ઇન્‍સાસ સહીતના આધુનિક શષાોની તાલીમ આપવામાં આવી હતી. એટલું જ નહી ટીયરગેસ હવે  અસરકારક રહ્યા ન  હોવાથી ઓઆર બેઇઝ મીરચી બોમ્‍બ ખરીદવાનો પણ નિર્ણય લેવાયો હોવાથી તેનું પણ પ્રદર્શન કરાયું હતું. શાહપુરમાં થયેલા કોમી તોફાનોમાં ટીયરગેસ અસરકારક રહ્યા ન હતા. વળી, ટોળામાં સામેલ લોકો ભીનો રૂમાલ આંખ પર મુકી દે અને ગેસનો શેલ પોલીસ સામે ફેંકીને હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

   જેના નિરાકરણ માટે મરીયમાંથી તૈયાર થયેલા મીરચી ગેસની ખરીદી કરવામાં આવનાર છે. જેની મદદથી ઘરમાં છુપાયેલા લોકો પણ બહાર આવવા મજબુર બની જશે.

Share this Story:

Follow Webdunia gujarati