Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છઠ્ઠા પગારપંચનો અમલ થશે આનંદો!

કર્મચારીઓ સામે સરકાર ઝૂકી

છઠ્ઠા પગારપંચનો અમલ થશે આનંદો!

વેબ દુનિયા

ગાંધીનગર , મંગળવાર, 16 ડિસેમ્બર 2008 (23:01 IST)
છઠ્ઠા પગાર પંચનો કેન્દ્ર સરકારે અમલ કર્યા બાદ રાજ્યના લાખો કર્મચારીઓએ પણ તેના અમલ માટે આંદોલન પર ઉતર્યા હતાં. જેની સામે ઝૂકી જતા સરકારે 1 એપ્રિલ 2009થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના નાણામંત્રીના નેતૃત્વ હેઠળ છઠ્ઠા પગાર પંચના અમલ બાબતે રચાયેલી મંત્રીમંડળની સમિતિ અને રાજ્યના કર્મચારીના મહામંડળની આજે મળેલી બેઠકમાં પગાર પંચનો અમલ ૧-૧-2006થી કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની કેબિનેટમાં અધિકારિકરૂપે જાહેરાત કરવામાં આવશે.

પગાર પંચના અમલથી સરકારી તિજોરી પર બોઝ પડશે. વર્ગ 1-2 અને વર્ગ 3-4ના કર્મચારીઓ સહિત રાજ્ય સરકારના લાખો કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. કર્મચારીઓને આગામી 1-6-06થી 31-૪-૦૯ સુધીની ૩૯ મહિનાની એરિયર્સ, વધારાની રકમ દર વર્ષે 20 ટકા લેખે પાંચ વર્ષ સુધી જીપીએફમાં જમા કરાશે.જેને તેઓ પાંચ વર્ષ બાદ જ ઉપાડી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati