Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં બે દિવસમાં ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થયા

ગુજરાતમાં બે દિવસમાં ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થયા
PR
P.R
પાછલા ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. બે દિવસ અગાઉ ગોધરાની સાયન્સ કોલેજનાં મેદાનમાં યોજાયેલા સત્સંગ હાજરી આપવા ગયેલા સંત આસારામ બાપૂનુ હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે જ પચ્ચીસેક ફુટની ઉંચાઈથી ધડાકાભેંર ભોંય પર પટકાતા હાહાકાર મચી ગયો હતો. આ હેલિકોપ્ટરમાં સંત આસારામ બાપૂ સહિત અન્ય પાંચ મહત્વની હસ્તીઓ હતી.

જેથી સત્સંગ સમારોહમાં મૌજુદ લોકોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા અને તેઓ હેલિકોપ્ટર પાસે દોડી આવ્યા હતા. બીજી તરફ જમીન પર પટકાયેલા હેલિકોપ્ટરની પાંખો અને આગળનાં ભાગનાં ફુરચેફુરચા ઉડી ગયા હતા. બીજી તરફ ગઈકાલે જામનગર નજીકનાં સરમત ગામ નજીક એરફોર્સનાં બે હેલિકોપ્ટર સામસામે ભટકાયા હતા. આ દુર્ઘટના બાદ બંને હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયા હતા. હેલિકોપ્ટરની દુર્ઘટનામાં એરફોર્સનાં નવ અધિકારીઓનાં મોત નીપજ્યા હતા. આમ, પાછલા ત્રણ દિવસમાં ગુજરાતનાં આકાશમાં ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati