બળાત્કારના આરોપી આસારામ સામે કાનુની કાર્યવાહીમાં સ્કાઇપના માધ્યમથી ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવશે. ગાંધીનગર કોર્ટમાં આસારામ સામે ચાર્જફ્રેમ થવાનો છે. આસારામને પ્રત્યક્ષ રીતે કોર્ટમાં રજુ કરી શકાય તેમ નથી માટે સોશિયલ મીડિયા સ્કાઇપનો ઉપયોગ કરવામાં આવશે, સ્કાઇપના માધ્યમથી આસારામ વિરુદ્ધ કોર્ટમાં કાર્યવાહી ચલાવવામાં આવશે. સગીર પર બળાત્કારના કેસમાં આસારામ હાલ જોધપૂરની જેલમાં બંધ છે. ત્યારે જોધપૂરની જેલના સુપ્રિટેન્ડટે તેને કોર્ટમાં રજૂ કરવા માટે સ્કાઇપના ઉપયોગ કરતવા માટેની અરજી કરી હતી.