Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આસારામ બાપુએ ગુજરાતમાં મોદી સરકારને ઉખાડી ફેંકવાની ધમકી આપી !!

આસારામ બાપુએ ગુજરાતમાં મોદી સરકારને ઉખાડી ફેંકવાની ધમકી આપી !!
, સોમવાર, 3 સપ્ટેમ્બર 2012 (15:42 IST)
P.R
આસારામ બાપુએ ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારને ઉખાડી ફેંકવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે, જો સરકાર તેમને સોમનાથમાં સત્સંગ કરતાં રોકશે તો અમે સરકારને ઉખાડી ફેંકીશું. આસારામ બાપુએ આ ધમકી ગોધરામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યા બાદ થયેલા સત્સંગ દરમિયાન આપી છે.

વાસ્તવમાં સોમનાથમાં યોજાનારા આસારામ બાપુના સત્સંગનો સંત સમાજ અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. લોકોનો આ વિરોધ આસારામ બાપુના અમદાવાદ આશ્રમમાં રહેતાં બે બાળકોના મોત મુદ્દે હતો. બંને બાળકોનાં પરિવારે બાળકોના મોત પાછળ આસારામનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.

જેને કારણે સોમનાથ અને જૂનાગઢના લોકોએ આસારામ બાપુના સોમનાથમાં સત્સંગ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. બાપુ સામેના ભારે વિરોધને ધ્યાને લઇને તંત્રએ પણ આસારામને સોમનાથમાં સત્સંગની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યાં આસારામ બાપુનો સત્સંગ નહોતો થઇ શક્યો. આ વાતની નારાજગી તેમણે ૩૦ ઓગસ્ટ ગોધરામાં પોતાના ભક્તો સમક્ષ કાઢી હતી.

Share this Story:

Follow Webdunia gujarati