Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અહમદાવાદ - મુંબઈ હાઈ વે પર ગંભીર અકસ્માતમાં 11ના મોત , 20 ઘાયલ

અહમદાવાદ - મુંબઈ હાઈ વે પર ગંભીર અકસ્માતમાં 11ના મોત , 20 ઘાયલ
સૂરત , સોમવાર, 25 મે 2015 (13:09 IST)
અમદાવાદ-મુંબઈના નેશનલ હાઈ-વે 8 પર થયેલા માર્ગ અકસ્માતમાં 11ના મોત થયા છે. જ્યારે 20 જેટલા ઘાયલ થયા છે. મુંબઈથી સૂરત આવવા નીકળેલી ટ્રાવેલ ટેમ્પો મીની બસને આ અક્સ્માત તલસારી ગામ પાસે આવેલ સહ્યાદ્રી હોટલ પાસે ગંભાર અકસ્માત થયો હતો .મીની બસ મુંબઈથી આવી રહેલ લકઝરી બસ સાથે અથડાઈ ગઈ હતી. મરનારમાં પાંચ વર્ષ બાળકીનો પણ સમાવેશ થયો છે. 
 
સોમવારે પરોઢે થયેલા ગમ્ખ્વાર એક્સીડેંટમાં છ પુરૂષો અને 4 મહિલાઓને મોત થયો છે. ઘાયલોને તલસારીની રૂરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. તલસાઅરીના એસપી દાનીવારે કહે છે કે અમે અકસ્માતના કારણ જાણવા પ્રયત્ન કર્યો છે. અકસ્માત નજરે જોનારાનું માનવું છે કે ટ્રાવેલ ટેમ્પો ચલાવનાર ડ્રાઈવરને ઝોકું આવ્યું હતું અને મીની બસ કંટ્રોલ  બહાર જતા રહેતા તેની ટ્ક્કર લકઝરી બસ સાથે થઈ ગઈ હતી. 
 
મરનાર તમામ સૂરત ઓલપાડના રહેવાસી હોવાનું સામે આવ્યુ6 હતું. અકસ્માત થતા સ્ટેટ હાઈ-વે પેટ્રોલ શિક્યોરીટી ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને નજીકની હોસ્પીટલમાં ખસેડવાની તજવીજ કરી હતી.  

Share this Story:

Follow Webdunia gujarati