Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ : શાહપુરમાં ઘાયલ થયેલા યુવાનનું મોત

અમદાવાદ : શાહપુરમાં ઘાયલ થયેલા યુવાનનું મોત
, સોમવાર, 6 ઑક્ટોબર 2014 (13:39 IST)
અમદાવાદ 
 
છેલ્લા ત્રણ દિવસથી શાહપુરમાં કસાઈઓ અને પોલીસ સામ-સામે આવી ગયા છે. જેનો લાભ લઈને અસામાજિક  તત્વોએ અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.શાહપુરમાં પથ્થરમારા બાદ આજે શાંતિનો માહોલ છે. આજે સવારે સાત વાગ્યે શાંતિપૂર્ણ રીતે શાહપુર વિસ્તારમાં નમાઝ અદા કરવામાં આવી. પોલીસ કમિશનરે લોકોને શાંતિની અપીલ કરી છે. તે ઉપરાંત ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શાહપુર પોલીસ મથકે બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસ પર થયેલા પથ્થરમારા તેમજ પીએસાઆઈની રિવોલવર ચોરી થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે. 
 
મળતી માહિતી મુજબ ગત રાતે ઘાયલ થયેલા યુવાનનું આજે સવારે વીએસ હોસ્પિટલ ખાતે મોત થયું છે. આ યુવકને વી. એસ હોસ્પિટલમાં સારવાર માટે રખાય હતો. આ યુવાન ગઈકાલે રાત્રે ઘાયલ થયોઅ હતો. વર્તમાન સમયે વી.એસ હોસ્પિટલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati