Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માત, 15ના મોત

અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માત, 15ના મોત
અમદાવાદ , બુધવાર, 29 મે 2013 (13:22 IST)
:
P.R
અમદાવાદ- મુંબઇ હાઇવે પર થયેલા એક ગોઝારા અકસ્માતમાં લકઝરી બસના ઓછામાં ઓછા 15 મુસાફરો માર્યા ગયા છે અને આ લકઝરી બસ અમદાવાદથી મેનોર જઇ રહી હતી ત્યારે દહાણું પાસે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ થી મુંબઇ જવા નીકળેલી કાબરા ટ્રાવેલ્સની એક લકઝરી બસને દહાણું નજીક અકસ્માત નડ્યો હતો. એક ટ્રેલર ટ્રક દ્વારા તેને ટક્કર મારવામાં આવતાં આ અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસમાં અંદાજે 35 કરતાં વધુ મુસાફરો હતાં. જેમાંથી 15નાં મોત થયાં હોવાનું જાણવા મળે છે.

અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસ અને અન્ય સત્તાવાળાઓએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. માર્યા ગયેલાઓમાં મોટા ભાગના અમદાવાદના હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસ અને લકઝરી બસના સંચાલકો દ્વારા તેની વધુ તપાસ થઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati