ઘરતીના ધબકારા મને મંદ મંદ લાગે
ધરતીની મહેંક મને ઓસરતી લાગે
ઘરની શેરીઓ મને સૂની સૂની લાગે
માનવીના શ્વાસ મને તૂટક-તૂટક લાગે
છોડવાના ફૂલ મને રસહીન લાગે
ખુદ છોડવાં મને કસહીન લાગે
મંદિરના સુરો મને બેસૂરો નાદ લાગે
દર્શન થકી મને પ્રભુ નાસતો લાગે
કેમ આજ આવુ મને અણગમતું લાગે ?
પૂછું હુ માનવીને પૂછું ઓલ્યા સંતને
કેમ અલ્યા દ્રુષ્ટો કુદરતની ખીજ પડી માથે ?
- જે. કે સુથાર