Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીને રોકવા માટે હિંદુઓને ફરી જાતિમાં વહેંચી નાખે રાહુલ-કેજરીવાલ

મોદીને રોકવા માટે હિંદુઓને ફરી જાતિમાં વહેંચી નાખે રાહુલ-કેજરીવાલ
નવી દિલ્હી , શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (12:34 IST)
ભારતને લઈને પાકિસ્તાન શુ વિચારે છે એનુ ઉદાહરણ ફરી એકવાર ફરી જોવા મળ્યુ છે.  પાકિસ્તાનના એક રાજનીતિક અને રણનીતિક વિશેષજ્ઞે પીએમ મોદી વિરુદ્ધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નફરત અને વહેંચવાની રણનીતિ પર કામ કરવાની સલાહ આપી છે. 
 
સૈયદ તારિક પીરજાદા નામનો આ વ્યક્તિ મોટાભાગે ટીવી ચર્ચામાં જોવા મળે છે. આવી ચર્ચામાં તેમણે ભારત વિરુદ્ધ જોરદાર ભડાશ કાઢતા જોઈ શકાય છે. આ વખતે પીરજાદએ ટ્વીટ કરી રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને એવી સલાહ આપી જેનાથી પાકિસ્તાનના વિચાર વિશે જાણી શકાય છે. 
 
પીરજાદાએ લખ્યુ, ભારતમાં મોદી લહેર રોકવાનો કોઈ રસ્તો નથી દેખાતો સિવાય કે હિંદુઓને બીજીવાર જાતિને લઈને વહેંચવામાં આવે. આશા છે કે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી તેના પર કામ કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati