Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નસીરુદ્દીન શાહના પાકિસ્તાન પ્રેમ પર શિવસેનાએ આપ્યુ મોટુ નિવેદન

નસીરુદ્દીન શાહના પાકિસ્તાન પ્રેમ પર શિવસેનાએ આપ્યુ મોટુ નિવેદન
મુંબઈ , સોમવાર, 30 માર્ચ 2015 (12:45 IST)
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહ પર જોરદાર નિશાન સાધ્યુ. શિવસેનએ સામનામાં કહ્યુ, 'લાગે છે કે પાકિસ્તાને તેમના પર કાળો જાદુ કરી નાખ્યો છે. તેમને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ થઈ ગયો છે.'  ઉલ્લેખનીય છે કે નસીરૂદ્દીન શહએ તાજેતરમાં પાકિસ્તાનમાં પોતાનુ પુસ્તક લોંચ કરીને પરત ફર્યા છે. ત્યાથી પરત ફર્યા બાદ તેમણે કહ્યુ હતુ, 'ખબર નહી કેમ ભારતીયોમાં પાકિસ્તાન પ્રત્યે આટલો ગુસ્સો કેમ છે'
સામનામાં શિવસેનાએ લખ્યુ, 'નસીરુદ્દીન શાહે શહીદોના માતા-પિતાને જઈને પુછવુ જોઈએ કે પાકિસ્તાન વિરુદ્ધ હિન્દુસ્તાનીઓમાં આટલો ગુસ્સો કેમ છે. હિન્દુસ્તાનને લઈને જેમની પૂંછડી હંમેશા વાંકી રહે છે એ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ જાગે પણ કેવી રીતે?' શિવસેનાએ અહી સુધી કહી નાખ્યુ કે નસીરુદ્દીન શાહની વાતોથી લાગે છે કે તેમનુ મગજ ઠેકાણે નથી.
 
'સામના'માં કહેવામાં આવ્યુ, 'પાકિતાનની ભૂમિ પર પગ મુગતા જ તેઓ ભ્રમિત થઈ ગયા. હિન્દુસ્તાની લોકોએ પાકિસ્તાનની યજમાન મંડળી પોતાની બોલ-બચ્ચનગીરી દ્વારા વશમાં કરે છે અને આપણા ત્યાંના લોકો ત્યાથી અહી આવતી વખતે પોતાની ટોપી ખોઈને આવે છે. આ જ તો પાકિસ્તાનની કમાલ છે' નસીરુદ્દીન શાહના નિવેદનને લઈને નારાજ શિવસેનાએ કહ્યુ આટલા વર્ષોથી જે નામ કમાવ્યુ તેને ક્ષણમાં ગુમાવી દીધુ છે. પાકિસ્તાનમાં કાળો જાદુ થયો છે તેમના પર, આ પહેલા નસીરુદ્દીન શાહ પહેલા ક્યારેય આવા નહોતા.  

Share this Story:

Follow Webdunia gujarati