2019માં લગભગ 70 ટકા ભારતીય જેમાથી મોટાભાગના યુવા વર્ગ નરેન્દ્ર મોદીને બીજીવાર પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માંગે છે. ન્યૂઝ એપ્પ ઈન્શોર્ટ્સ એ માર્કેટ રિસર્ચ કંપની ઈપ્સાસ ની સાથે મળીને એક ઓનલાઈન સર્વે કર્યો, જેમાં લોકોએ પોતાનો આ વિચાર જાહેર કર્યો છે.
રિપોર્ટ મુજબ સર્વેમાં 63141 ગ્રાહકોને નરેન્દ્ર મોદીને પરત સત્તામાં લાવવાનો પ્રશ્નનો જવાબ આપ્યો. તેમાથી 70 ટકાએ કહ્યુ કે તે મોદીને બીજીવાર પ્રધાનમંત્રીના રૂપમાં જોવા પસંદ કરશે. જ્યારે કે 17 ટકાએ તેના વિરોધમાં પોતાના વિચાર જાહેર કર્યા અને 13 ટકા લોકો આ વિશે કોઈ નિર્ણય ન કરી શક્યા. આ સર્વે 25 જુલાઈ અને 7 ઓગસ્ટની વચ્ચે કરાવવામાં આવ્યો. સર્વેમા સામેલ 80 ટકા લોકોની વય 35 વર્ષથી ઓછી હતી.