Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LIVE: PM મોદીનો J&K પ્રવાસ, કટરામાં વૈષ્ણોદેવી સુપર સ્પેશલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યુ

LIVE: PM મોદીનો J&K પ્રવાસ, કટરામાં વૈષ્ણોદેવી સુપર સ્પેશલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યુ
નવી દિલ્હી. , મંગળવાર, 19 એપ્રિલ 2016 (10:37 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ તેમજ કશ્મીરના પ્રવાસ પર છે. તેમણે આજે સવારે શ્રી માતા વેષ્ણોદેવી નારાયણ સુપર સ્પેશલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યુ. પ્રધાનમંત્રી માતા વેષ્ણોદેવી વિશ્વવિદ્યાલયમાં 5માં દીક્ષાંત સમારંભમાં ભાષણ પણ આપશે. તેઓ રમત મેદાનનું પણ ઉદ્દઘાટન કરશે. 
 
શ્રી માતા વેષ્ણોદેવી સાઈન બોર્ડ એ કટરા પાસે રહેવાસી જીલ્લામાં 300 કરોડ રૂપિયાના રોકાણથી 230 બેડવાળુ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યુ છે.  આ દવાખાનામાં 15 માર્ચથી જ લોકો માટે મફત ઓપીડી સેવા અને નૈદાનિક પરીક્ષણ ખુલ્લા રહેશે.  8 એપ્રિલથી જ હોસ્પિટલમાં પૂર્ણ રૂપે કામ શરૂ થઈ ગયુ હતુ. અધિકારીએ કહ્યુ કે આ હોસ્પિટલમાં રોગીઓ માટે સર્વોત્તમ નિદાન અને ઉપચારની સુવિદ્યા પુરી પાડવા માટે અત્યાધુનિક કમ્પ્યૂટરીકૃત ઉપકરણો લગાવાયા છે. 

લગભગ 2.54 વર્ગફુટ ક્ષેત્રમાં બનેલ હોસ્પિટલમાં મેડિસિન અને સર્જરીના 20થી વધુ વિભાગ છે. તેમા કાર્ડિયોલોજી, કાર્ડિયો થોરેસિક સર્જરી, ન્યૂરોલોજી, ન્યૂરો સર્જરી, નેફ્રોલૉજી, યૂરોલોજી, આંકોલોજી, ગૈસ્ટ્રોએંટેરોલૉજી, ઑર્થોપેડિક્સ, ટ્રોમા મેડિસિન જેવા વિભાગ છે. 
 
અત્યાધુનિક કમ્પ્યૂટરીકૃત ઉપકરણો જેવા એમઆરઆઈ, સીટી સ્કૈન, કૈથ લૈબ ડાયાલિસિસ યૂનિટ કૈથ લૈબ એંડ્રોસ્કોપી ગામા કૈમરા અને લીનિયર એક્સેલેરેટર અને બ્રાંચી થેરેપી જેવી સુવિદ્યા મળી રહેશે.   બોર્ડે ગઈકાલે એક બેઠકમાં આ નિર્ણય કર્યો છે કે જો કોઈ શ્રદ્ધાળુને પ્રવાસ દરમિયાન કોઈ પરેશાની થાય છે તો હોસ્પિટલમાં તેની મફત સારવાર થશે. 
 
જો તેને કોઈ પહેલાથી જ બીમારી છે તો તેની સ્થિતિ સુધરે નહી ત્યા સુધી તેને સુવિદ્યા મળશે. તેની આસપાસના સિરા કકરયાલ અને કોટલા ગામના લોકોને અને હોસ્પિટલ તેમજ વિશ્વવિદ્યાલય માટે જમીન આપનારાને મફત ઓપીડીની સુવિદ્યા મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati