Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#YakubHanged - જેલમાંથી કાઢવામાં આવી ડેડ બૉડી, ફ્લાઈટથી મુંબઈ લાવી રહી છે ફેમિલી

#YakubHanged - જેલમાંથી કાઢવામાં આવી ડેડ બૉડી, ફ્લાઈટથી મુંબઈ લાવી રહી છે ફેમિલી
મુંબઈ/નાગપુર , ગુરુવાર, 30 જુલાઈ 2015 (10:13 IST)
1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટના દોષી યાકુબ મેમનને ફાંસી આપવામાં આવી છે. સવારે સાત વાગ્યે યાકૂબને ફાંસીના ફંદા પર લટકાવાયો અને સ્સાત વાગીને 10 મિનિટ પર તેની બૉડીને નીચે ઉતારવામાં આવ્યો. નાગપુર જેલની અંદર જ ડોક્ટરોએ શબનુ પોસ્ટમોર્ટમ કર્યુ અને અંડરટેકિંગ લીધા પછી ડેડ બૉડી જેલ એડમિનિસ્ટ્રેશને શબ ફેમિલીને સોંપી દીધો છે. બૉડી લેવા માટે યાકૂબના બંને ભાઈ (સુલેમાન અને ઉસ્માન) નાગપુરની જેલ પહોંચ્યા હતા. યાકૂબની ફાંસીને લઈને ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 10.30 વાગ્યે વિધાનસભામાં નિવેદન આપશે. 
 
પહેલીવાર સવારે 3:20 વાગ્યે કોર્ટ ખુલી. દોઢ કલાક સુધી ચાલેલી સુનાવણી છતા પણ યાકૂબની અરજી રદ્દ.  6 પોલીસ ઓફિસરોની હાજરીમાં ફાંસી પર લટાવાયો. 

મુંબઈ ધમાકાના ગુનેગાર યાકૂબની અંતિમ ઈચ્છા - પુત્રી પત્નીનો ખ્યાલ રાખજો.. 
 
છેલ્લી આશા - કાશ ! ચમત્કાર થઈ જાય. 
 
09:48AM:નાગપુર એયરપોર્ટ પહોંચ્યો યાકુબનો શબ 
 
09:42AM: જેલમાંથી કાઢવામાં આવ્યો યાકુબનો શબ. શબ એયરપોર્ટ પર ફેમિલી દ્વારા લઈ જવાયો. ઈંડિગો ફલાઈથી મુંબઈ લઈ જવામાં આવશે 

09:40AM: બીજેપી પ્રવક્તા એમજે અકબરે થરુરના ટ્વીટ પર કહ્યુ - મને અફસોસ છે કે કેટલાક લોકો આવી વાતો કરે છે. આપણા દેશમાં કાયદો છે. સુપ્રીમ કોર્ટ સૌથી ઉપર છે. તમે સુપ્રીમ કોર્ટ પર સવાલ નથી ઉઠાવી શકતા. નિર્ણય સૌને માટે હકનો નિર્ણય છે. મને નથે એલાગ્તતુ કે આ કોઈ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય છે. જો 22 વર્ષ પછી નિર્ણય થાય છે તો તમે તેને ઉતાવળિયુ પગલુ કેવી રીતે કહી શકો છો. 
 
09:36AM: એનસીપી સાંસદ મજીદ મેમને કહ્યુ - કેન્દ્ર અને રાજ્યમાં બીજેપીને સરકાર છે. સરકારે ફાંસી આપવામાં ઉતાવળ કરી. મર્સી પિટીશન રદ્દ કરતા પહેલા પ્રેસિડેંટને વધુ સમય નહી મળે. સરકારે દબાવ નાખ્યો. સુપ્રીમ કોર્ટે ઉતાવળની સાથે નિર્ણય કર્યો. 21 વર્ષ જ્યા રોકાયા તો 21 દિવસ હજુ રોકાતા તો કયામત થોડી આવી જતી. 
 
09:30AM:હોમ સેક્રેટરી એલસી ગોયલ પાર્લિયામેંટ પહોંચ્યા. મહારાષ્ટ્ર સરકાર યુઆકુબની ફાંસીની માહિતી આપશે. 
 
09:23AM: નાગપુર એયરપોર્ટ પર પણ સિક્યોરિટી વધારવામાં આવી. થોડીવારમાં જ જેલથી યાકુબનુ શબ પહોંચશે. અને એયર એબુલેંસ દ્વારા મુંબઈ લાવવામાં આવશે. 
09:18AM: મુંબઈના માહિમ પોલીસ સ્ટેશનમાં રૈપિડ એક્શન ટીમ ગોઠવાઈ. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર. 
 
09:07AM: યાકુબની ફાંસી પર કોંગ્રેસ સાંસદ શશિ થરુરનુ ટ્વીટ - સરકારે એક માણસને ફાંસી પર ચઢાવ્યો છે તેનુ મને ખૂબ દુખ છે. સરકારની પ્રાયોજીત હત્યાઓ અમને નીચુ બતાવી રહી છે. જેને આપણને હત્યારાઓના સ્તર પર લાવી દીધુ છે. 
 
09:02AM: નાગપુર જેલમાં જ ચાલી રહી છે યાકૂબની ડેડ બોડી ફેમિલીને સોંપવાની પૂર્ણ તૈયારી. કાગજી કાર્યવાહી પુર્ણ થઈ રહી છે. 
 
08:52AM: સપા નેતા અબૂ આજમીએ કહ્યુ - યાકૂબની ફાંસી પર અફસોસ છે. યાકૂબ ખુદ ચાલીને આવ્યો હતો. ખુદ સરેંડ્ર થયો હતો. રો ઓફિસર બી રમણનુ આર્ટિકલ વાચ્યા પછી મને લાગે છે કે આ ખોટુ થયુ. આપણે વિચારવુ પડશે કે દાઉદ અને યાકૂબે બોમ્બ બ્લાસ્ટ કેમ કરાવ્યા ? આની વાત પણ થવી જોઈએ. સરકાર તમાશા જોતી રહી. એક્સહ્ન કે રિએક્શન બંને ઠીક નથી. પણ એક્શન પર આજ સુધી સજાન નથી થઈ અને રિએક્શન પર ફાંસી થઈ ગઈ. 
 
08:48AM: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનુ ટ્વીત - યાકૂબની ફાંસી પર સરકાર, ન્યાયપાલિકાએ ત્વરિત પગલા ઉઠાવીને મિસાલ રજુ કરી છે. આશા છે કે બધા મામલામાં જાતિ, ધર્મથી ઉપર ઉઠીને આ પ્રકારના નિર્ણયો થશે. શંકા છે કે બાકી કેસોમાં આટલી ઝડપથી કામ થશે. સરકાર અને ન્યાયપાલિકાની શાખ દાવ પર છે. 
 
08:42AM: મહારાષ્ટ્રના એડિશનલ હોમ સેક્રેટરી કેપી બખ્શીએ કહ્યુ - ફેમિલીએ લાશની માંગ કરી હતી. જ્યારબાદ જેલ સુપ્રીટેંડેટે નિર્ણય લીધો છે કે શબ ફેમિલીને સોંપવામાં આવશે. આખા રાજ્યમાં પોલીસની સુરક્ષા વધી ગઈ છે. કોઈ પ્રકારની કોઈ ઘટના નહી થવા દઈએ. લોક શાંતિ બનાવી રાખે. 
 
08:38AM: બપોર એક વાગ્યા સુધી નાગપુરથી મુંબઈ એયરપોર્ટ પહોંચશે યાકુબનુ શબ લાવવામાં આવશે.  
 
08:17AM: વાગ્યે નાગપુર જેલમાંથી યાકુબની ડેડ બોડી  કાઢવામાં આવી. 

07:41AM: પાકિસ્તાન ટેરેરિજ્મ ઓપરેટ કરતુ રહ્યુ છે. ગીધની જેમ દેશ પર હુમલો થયો. લોકો નિર્દયતાથી મારય ગયા. કેટલાક લોકો તેને છેલ્લે સુધી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા અહ્તા. તેમના કહેવાથી દેશ નથી ચાલતો. દેશ કાયદાથી ચાલે છે.  તેમના મગજને ઠેકાણે લાવવુ જોઈએ. આવા લોકોને કારણે કસાબ ધુસે છે. મેમન જન્મે છે. હવે નહી ચાલે. આવા લોકોને સબક મળશે. - સંજય રાવત, શિવસેનાના સીનિયર લીડર. 
 
07:41AM: પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખતા 430 લોકોની ધરપકડ કરી ચુકી છે. 
 
07:40AM: ચંદનવાડી કબ્રસ્તાનમાં દફનાવાશે. અહી યાકૂબના પિતાને પણ દફનાવ્યા હતા. 
 
07:35AM: યાકૂબ મેમનની બોડી મુંબઈના ઘરે લઈ જઈ શકે છે ફેમિલી. માહીમમાં છે મેમનની ફેમિલીનું ઘર. 
 
07:30AM: યાકૂબના પૂર્વ વકીલ શ્યામ કેશવાનીએ ટીવી ચેનલને કહ્યુ - આપણા દેશમાં ગિદ્ધ જેવી માનસિકતાવાળા લોકોની જીત થઈ. 
07:28AM: ટીવી રિપોર્ટ્સ મુજબ ફાંસી યાર્ડમાં હાજર લોકોએ યાકૂબની ફાંસી પછી બે મિનિટનું મૌન રાખ્યુ 
 
07:22AM: જેલના અધિકારીઓએ કંફર્મ કર્યુ. 6.25 વાગ્યે નહી સાત વાગે આપવામાં આવી ફાંસી. સાત વાગીને દસ મિનિટ પર મૃત જાહેર કરાયો. 

Share this Story:

Follow Webdunia gujarati