Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુસલમાનો માટે મોદી કરતા મુલાયમ વધુ ખતરનાક છે

મુસલમાનો માટે મોદી કરતા મુલાયમ વધુ  ખતરનાક છે
સંભલ , ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (09:46 IST)
બસપા નેતા નસીમુદ્દીન સિદ્દીકીએ મુસલમાનો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતા વધુ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવને વધુ ખતરનાક બતાવ્યા છે. 
 
મોદીથી વધુ મુલાયમ સિંહ ખતરનાક 
 
નસીમુદ્દીન સિદ્દીકી બહજોઈના ડીઆર રિસોર્ટમાં ચંદ્રૌસી વિધાનસભાના ભાઈચારા કમિટી સંમેલનમાં કહ્યુ કે મુસલમાનો સાવધાન થઈ જાવ. મોદી કરતા વધુ મુલાયમ સિંહ ખતરનાક છે. તેમણે કહ્યુ કે ગુજરાતના ગોધરામાં મોદી સરકારના સમયે થયેલ રમખાણોમાં 42 મુસલમાન માર્યા ગયા હતા જ્યાર કે સપા સરકારના શાસનકાળમાં મુજફ્ફરનગરમાં થયેલ રમખાણોમાં 187 મુસલમાન માર્યા ગયા. 
 
સપાને ચૂંટણીના સમયે અલ્પસંખ્યકોની યાદ આવી. 
 
તમે( મુસ્લિમ)મોદીને આટલી નફરત કરતા હોય તો મુલાયમને કેમ નહી ? સિદ્દીકીએ કહ્યુ કે મુસલમાન 25 વર્ષથી સપાને વોટ આપી રહ્યા છે. પણ તેમને મુસલમાન માટે કશુ કર્યુ નથી. ફક્ત ચૂંટણી સમયે જ સપાને અલ્પસંખ્યકોની યાદ આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તંત્રને અલ્ટીમેટમ, સુરેન્દ્રનગરમાં દલિતોની નિર્વસ્ત્ર રેલી કાઢવાની ચીમકી