Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદીના વખાણમાં લલિત મોદીનું ટ્વીટ, "તેમણે મારી સલાહની જરૂર નથી"

PM મોદીના વખાણમાં લલિત મોદીનું ટ્વીટ,
, શનિવાર, 27 જૂન 2015 (14:49 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ( આઈપીએલ) ના પૂર્વ ચીફ લલિત મોદી વર્તમાન દિવસોમાં ભારતીય રાજકારણમાં છવાયેલા છે. તેની સાથે જોડાયેલ વિવાદમાં રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજેની ખુરશી જતા જતા બચી ગઈ. હવે લલિત મોદીએ ટ્વિટર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મેસેજ આપ્યો છે. 
 
લલિત મોદીએ ટ્વીટ કર્યુ - "આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ જ જાણકાર છે. તેમને મારી સલાહની જરૂર નથી. જ્યારે તેઓ બેટિંગ કરે છે તો બોલ સીધી મેદાન બહાર પહોંચાડી દે છે."  વિવાદો વચ્ચે લલિત મોદી સતત ટ્વિટર પર એક્ટિવ જોવા મળી રહ્યા છે. 
webdunia
 
ટ્વિટર દ્વારા લલિત મોદીએ ગાંધી પરિવારને મળવાનો દાવો કર્યો. 
 
જો કે લલિત મોદી તરફથી લંડનમાં મુલાકાત કરવાના દાવાનો પ્રિયંકા ગાંધીએ ઈનકાર કર્યો છે. સૂત્રો મુજબ પ્રિયંકાએ કહ્યુ કે તેમના અને લલિત મોદી વચ્ચે કોઈ પ્રકારની મુલાકાત થઈ નથી. 

Share this Story:

Follow Webdunia gujarati