Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે માત્ર 200 રૂપિયામાં કરો કેદારનાથ યાત્રા

હવે માત્ર 200 રૂપિયામાં કરો કેદારનાથ યાત્રા
દેહરાદૂન. , શુક્રવાર, 24 એપ્રિલ 2015 (11:32 IST)
કેદારનાથની પગપાળા યાત્રા આ વખતે ખૂબ સસ્તી કરી શકાશે. માત્ર 200 રૂપિયામાં કેદારનાથની યાત્રા કરી શકશો. 200 રૂપિયામાં એક પ્રવાસીને એક સમયનો નાસ્તો, 2 સમયનું ભોજન અને ટેંટમાં રાત પસાર કરવાની સુવિદ્યા પણ મળશે. આટલા સસ્તામાં કેદારનાથની યાત્રા પહેલા ક્યારેય કરી શકાતી નહોતી. 
 
જો તમે પ્રી-ફૈબ્રિકેટિડ હટ્સમાં રાત ગુજારવા માંગો છો તો પછી તમારા ખિસ્સામાં 300 રૂપિયા હોવ જોઈએ. મતલબ 2સોથી 3સો રૂપિયામાં તમે રહેવાની ઉત્તમ વ્યવસ્થા અને ભોજનમાં ટેસ્ટી વ્યંજનોનો આનંદ પણ લઈ શકો છો. બાબા કેદારના દર્શન કરી પુણ્યના ભાગીદાર બની શકો છો. આ પહેલા આ સુવિદ્યાઓ માટે મુસાફરોને 1થી 3 હજાર રૂપિયા ચુકવવા પડતા હતા. પણ આ વખતે જી.એમ.વી.એન દ્વારા સસ્તા દરો પર તીર્થ યાત્રીઓ માટે જમવાની વ્યવસ્થા આપવામાં આવી રહી છે અને અત્યાધુનિક ટૈટોમાં રાત પસાર કરવા માટે નામમાત્રનુ ભાડુ લેવામાં આવી રહ્યુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati