Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્જિકલ સ્ટ્રાઈક પહેલા પણ કરવામાં આવ્યો હતો આ ફક્ત સેના જાણે છે

સર્જિકલ સ્ટ્રાઈક પહેલા પણ કરવામાં આવ્યો હતો આ ફક્ત સેના જાણે છે
નવી દિલ્હી. , બુધવાર, 19 ઑક્ટોબર 2016 (11:05 IST)
વિદેશ સચિવ એસ જયશંકરે મંગળવારે કહ્યુ કે ભારતીય સેના તરફથી પહેલા નિયંત્રણ રેખા પાર લક્ષિત હુમલો કરવામાં આવ્યો છે કે નહી આ વિશે ફક્ત સેના જાણે છે અને આવા હુમલા વિશે કોઈ સંદેશ નથી આપવામાં આવ્યો. સરકારી સૂત્રોએ કહ્યુ કે વિદેશ સચિવે કહ્યુ કે મુખ્ય મુદ્દો એ છે કે અમે લક્ષિત હુમલો કર્યા પછી સાર્વજનિક રૂપે તેની માહિતી આપી જેનાથી એક રાજનીતિક-સૈન્ય સંદેશ ગયો. 
 
આ કામમાં તેમણે આગળ કહ્યુકે પહેલા સીમા પાર કરવામાં આવી કે નહી.. તેના વિશે ફક્ત સેના જાણે છે. પણ આ અપ્રાસંગિક છે. કારણ કે કોઈ સંદેશ જ નથી આપવામાં આવ્યો. વિદેશ મામલા સાથે જોડાયેલ સંસદીય સમિતિમાં થયેલ વાક્યો વિશે સ્પષ્ટીકરણ ત્યારે આપ્યુ જ્યારે કેટલાક વિપક્ષી સાંસદોએ વિદેશ સચિવના હવાલાથી કહ્યુ કે સેનાએ નિયંત્રણ રેખા પાર પહેલા પણ વિશિષ્ટ લક્ષ્ય પર સીમિત ક્ષમતાના આતંકવાદ નિરોધક અભિયાનોને અંજામ આપ્યો છે. પરંતુ પહેલીવાર સરકારે આ વિશે સાર્વજનિક રૂપે માહિતી આપી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિજ્ઞાન મેળો - સુરતમાં 206 માનવ હાડકાં, બે માથાવાળું બાળક રજુ કરાયું