Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીવી એંકર અમૃતા રાવે છોડી પતિ દિગ્વિજય સિંહની સંપત્તિ, હવે આ રહેશે વારસદાર..

ટીવી એંકર અમૃતા રાવે છોડી પતિ દિગ્વિજય સિંહની સંપત્તિ, હવે આ રહેશે વારસદાર..
નવી દિલ્હી. , ગુરુવાર, 14 જુલાઈ 2016 (17:08 IST)
ટીવી એંકર અમૃતા રાય અને દિગ્વિજય સિંહે પોતાના સંબંધોના આલોચકોને જોરદાર જવાબ આપ્યો છે. એમપીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ મહાસચિવ દિગ્ગીએ ટ્વીટ કર્યુ છે. 
 
તેમણે ટ્વીટ કર્યુ - મારી પત્ની અમૃતા રાયે મારી પારિવારિક અને અર્જિત સંપત્તિમાં મારો પુર્ણ અધિકાર મારા પુત્ર જયવર્ધનના હકમાં ત્યજી દીધો, જે કહ્યુ તે કર્યુ. 
 
ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહના અમૃતા સાથેના બીજા લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા. લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ હતી કે અમૃતાએ પૈસા માટે દિગ્ગી સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2015માં બંનેયે લગ્ન કર્યા હતા. 
 
ફેસબુક પોસ્ટ દ્વારા કર્યુ હતુ લગ્નનું એલાન 
 
અમૃતા રાયે દિગ્ગી સાથે લગ્નની માહિતી ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી. તેમણે લખ્યુ હતુ કે દિગ્વિજય સિંહ સાથે પ્રેમને કારણે લગ્ન કર્યા છે.  તેથી તેમણે દિગ્વિજયને નિવેદન કર્યુ કે તે પોતાની સંપત્તિ અને બાકી વસ્તુઓ પોતાના પુત્ર અને પુત્રીઓના નામે કરી દે. 
 
પરિવારના લોકોએ કર્યો હતો વિરોધ 
 
દિગ્વિજય સિંહ અને અમૃતા રાયના લગ્નને લઈને દિગ્વિજયના ભાઈ લક્ષ્મણ સિંહની પત્નીએ પણ દિગ્વિજયનો વિરોધ કર્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગરીબોને 48 રૂપિયે કિલો તેલ અપાશે