Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ હતુ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદનુ અંતિમ વોટ્સએપ સ્ટેટસ

આ હતુ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદનુ અંતિમ વોટ્સએપ સ્ટેટસ
નવી દિલ્હી. , ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (13:14 IST)
દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા કર્નલ મુનીન્દ્ર નાથ રાયના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા. તેમને સૈનિક સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓમાં વચ્ચે થયેલ મુઠભેડમાં શહીદ થયેલ કર્નલ એમએન રાયને એક દિવસ પહેલા જ વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાયે પોતાના વોટ્સએપ પર સ્ટેટસ નાખ્યુ હતુ કે 'જીંદગી મે બડી શિદ્દત સે નિભાઓ અપના કિરદાર કે પરદા ગિરને કે બાદ ભી તાલિયા બજતી રહે.' 
 
દિલ્હી કૈટમા આજે શહીદ કર્નલનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તેમના પાર્થિવ શરીરને લોકોએ ભીની આંખોથી શ્રદ્ધાંજલિ આપી. તેમના પાર્થિવ શરીરના દર્શન માટે ભારે ભીડ એકત્ર થઈ હતી. ઉલ્લેખનીય છે કે હિજબુલ મુજાહિદ્દીનના આતંકી સાથે મુઠભેડમાં બંને જવાન શહીદ થયા હતા. પુલવામાના ત્રાલમાં થયેલ આ મુઠભેડમાં હિઝબુલના બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati