Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હુ CM પદની દોડમાં સામેલ નહી - રાજનાથ

હુ  CM પદની દોડમાં સામેલ નહી - રાજનાથ
લખનૌ. , શનિવાર, 11 જૂન 2016 (11:43 IST)
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારા રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપા)ના મુખ્યમંત્રી ઉમેદવારીને લઈને ચાલી રહેલ અટકળો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને લખનૌના સાંસદ રાજનાથ સિંહએ ખુદને આ દોડમાંથી અલગ બતાવ્યુ છે. પાર્ટી સૂત્રો મુજબ ઈલાહાબાદમાં 12 જૂનનાર ઓજ શરૂ થઈ રહેલ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના દરમિયાન ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે થનારી ચૂંટણીમાં મુખ્યમંત્રી ઉમેદવારી વિશે ગરમાગરમ ચર્ચાની શક્યતા છે. 
 
મુખ્યમંત્રી પદના ઉમેદવાર વિશે સૂબાના પૂર્વ મુખ્યમંત્રી રાજનાથ સિંહને સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જો કે રાજ્ય એકમે આ વિશે મૌન રાખ્યુ છે. સિંહે અહી ચારબાગ રેલવે સ્ટેશન પર મુસાફરી સુવિદ્યા કેન્દ્રના ઉદ્દઘાટન પછી પત્રકારોને કહ્યુ કે આ એક કાલ્પનિક અને નિરાધાર મુદ્દો છે. હુ કોઈપણ દોડમાં સામેલ નથી. ભાજપા પાએ યુપી માટે પ્રતિભાશાળી નેતાઓની કમી નથી. 
 
પત્રકારોએ ખૂબ પાછળ પડતા તેમણે કહ્યુ કે અત્યાર સુધી આ મામલા વિશે વિચાર્યુ નથી પણ જો પાર્ટી મને કોઈપણ જવાબદારી આપે છે તો તેને નિભાવવા હુ હંમેશા તૈયાર છુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હુ કોંગ્રેસમાં જઉ એવુ વિચારવુ પણ પાગલપન - વરુણ ગાંધી