Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિન્દુઓની વસ્તી 100 ટકા કરવાની છે - તોગડિયા

હિન્દુઓની વસ્તી 100 ટકા કરવાની છે - તોગડિયા
ભોપાલ. , સોમવાર, 22 ડિસેમ્બર 2014 (11:11 IST)
હિન્દુઓને જાગૃત કરવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જોરદાર દાવો કર્યા બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદના સિનીયર નેતા પ્રવીણ તોગડિયાએ કહ્યુ છે કે ભારત હિન્દુઓનો દેશ છે.  
 
ભોપાલમાં એક સંમેલનમાં તોગડિયાએ કહ્યુ કે એક સમયે દુનિયામાં માત્ર હિન્દુઓની જ વસ્તી હતી. હવે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા ભારતમાં હિન્દુઓની વસ્તી હાલ 82 ટકાથી વધારીને 100 ટકા કરશે. 
 
તોગડિયાએ કહ્યુ કે હિન્દુઓની વસ્તી ઘટીને અડધી થઈ જાય એવુ અમે સાંખી નહી લઈએ. અ દેશમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જાય એવુ અમે સાંખી નહી લઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati