Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુદર્શનની અડવાણી સાથે મુલાકાત

સુદર્શનની અડવાણી સાથે મુલાકાત

ભાષા

નવી દિલ્હી , સોમવાર, 31 ઑગસ્ટ 2009 (15:30 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કે.એસ. સુદર્શને બીજેપીના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે સોમવારે સવારે તેમના ઘર પર મુલાકાત કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે, બન્ને નેતાઓ વચ્ચે પાર્ટીના અંદરૂની ઘટનાક્રમો અને આગળની રણનીતિ પર વિચાર વિમર્શ થયો.

સૂત્રોએ જણાવ્યું કે, લગભગ એક કલાકની આ મુલાકાતમાં બન્ને નેતાઓએ યૂપીએ સરકારના પ્રદર્શન અને વર્તમાન રાજનીતિક મુદ્દોં પર ચર્ચા કરી. માનવામાં આવી રહ્યું છે કે, અડવાણીએ મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂટણી પહેલા ત્યાના પરિણામો વિષે સુદર્શન પાસેથી માહિતી લીધી. બીજેપીના સંગઠન મહાસચિવ રામલાલ પણ આ દરમિયાન હાજર હતાં.

Share this Story:

Follow Webdunia gujarati