Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરદાર પટેલ ઉગ્ર સાંપ્રદાયિક વ્યક્તિ નહોતા - અડવાણી

સરદાર પટેલ ઉગ્ર સાંપ્રદાયિક વ્યક્તિ નહોતા - અડવાણી
નવી દિલ્હી , મંગળવાર, 24 ડિસેમ્બર 2013 (15:07 IST)
P.R
ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ મંગળવારે સરદાર પટેલ મુસ્લિમ વિરોધી હતા તે આરોપને ખોટા ગણાવ્યા છે અને આ બાબતમાં એક ઈસ્લામી વિદ્વાન અને કોંગ્રેસના નેતા રફીક ઝકારિયાએ દર્શાવ્યું છે કે જેમણે લોખંડી પુરુષની રાષ્ટ્રવાદી છબીને ઉજાગર કરવા માટે તેમની પર શોધ કરી છે.

અડવાણીએ પોતાના બ્લોગમાં એક રાષ્ટ્રીય સમાચારપત્રમાં છપાયેલા એક વિકૃત લેખ પર નારાજગી વ્યક્ત કરી, જેમાં અભિલેખનો હવાલો આપતા પટેલને ઉગ્ર સાંપ્રદાયિક વ્યક્તિ અને જવાહરલાલ નહેરૂને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રવાદના પ્રતીક કહેવામાં આવ્યા છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે આ કારણ છે કે સંઘ પરિવાર એકની પૂજા કરે છે અને બીજાને વખોડે છે. વયોવૃદ્ધ ભાજપના નેતાએ આ વાતથી પૂરી રીતે હુંકાર ભરતા આના જવાબમાં ઝકારિયાનો વિચાર રજૂ કર્યા, જેમાં ભારતીય મુસ્લિમોથી જોડાયેલા વિષયને મહારથી માનવામાં આવે છે.

ઝકારિયાના વ્યાખ્યાન પર આધારિત તેમનું પુસ્તક સરદાર પટેલ એન્ડ ઈન્ડિયન મુસ્લિમનો હવાલો આપતો અડવાણીએ કહ્યું કે કોંગ્રેસના નેતા પણ આ ખ્યાલમાં હતા કે પટેલ મુસ્લિમોને પસંદ નહોતા કરતા. ઝકારિયાએ લખ્યું છે કે હું વિચારતો હતો કે તેઓ મુસ્લિમ વિરોધી છે. હું સાચો છું કે નહીં તે જાણવા મેં તેમની સ્મૃતિમાં આયોજીત પ્રવચનનું અધ્યયન કર્યું , જેમાં તેમના વિશે મહત્વપૂર્ણ અભિગમ પણ હોય શકતો હતો.

Share this Story:

Follow Webdunia gujarati