Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સપા ટેકો નહીં ખેંચે !

સપા ટેકો નહીં ખેંચે !

ભાષા

નવી દિલ્હી , શનિવાર, 14 ફેબ્રુઆરી 2009 (15:07 IST)
કલ્યાણસિંહ સાથે ગઠબંધનના મુદ્દા પર વિભિન્ન વર્ગોની ટીકાનો સામનો કરી રહેલા સમાજવાદી પાર્ટીએ આજે કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે આ મુદ્દાને હવા આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જોકે આને લઇને કોંગ્રેસ સાથેના તેમના ગઠબંધન ઉપર કોઇ પ્રભાવ નહીં પડે.

સમાજવાદી પાર્ટી મહાસચિવ અમરસિંહે સીએનએન આઇબીએનના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક નેતા કલ્યાણસિંહને મોટો મુદ્દો બનાવી રહ્યા છએ અને તેને હવા આપવાનું કામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, બાબરી મસ્જીદના ધ્વંસ બાદ કોંગ્રેસે કહ્યું હતું કે, તે ત્યાં મસ્જીદ બનાવશે, ભાજપે રામ મંદિર બનાવવાની વાત કરી હતી. જ્યારે બસપાના સંસ્થાપક કાશીરામે ત્યાં શૌચાલય બનાવવાની વાત કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati