Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રી શ્રી રવિશંકર પર હુમલો

શ્રી શ્રી રવિશંકર પર હુમલો
, સોમવાર, 31 મે 2010 (10:58 IST)
આર્ટ ઓફ લિવિંગના કનકપુરામાં આવેલ આશ્રમમાં રવિવારે સાંજે એક વ્યક્તિએ ગોળી ચલાવી દીધી. આ ઘટનામાં શ્રી શ્રી રવિશંકર બચી ગયા, જ્યારે કે એક ભક્ત ઘાયલ થઈ ગયો. તેને જાંઘમાં ગોળી વાગી. ઘટના પછી હુમલો કરનાર ફરાર થઈ ગયો. તેની ઓળખ થઈ શકી નથી.

શ્રી શ્રી રવિશંકર આજે બેંગલુરુના કનકપુરા આશ્રમમાં હતા. ત્યાં સત્સંગ ચાલી રહ્યુ હતો. રવિવાર હોવાને કારણે ભક્તોની ખાસ્સી ભીડ હતી. શ્રી શ્રી પાસેથી પ્રસાદ ગ્રહણ કરવા માટે લોકોની લાઈન લાગી હતી. સાંજે લગભગ છ વાગ્યે એક વ્યક્તિએ આધ્યાતિમ્ક ગુરૂને નિશાન બનાવી ગોળી ચલાવી દીધી. આ ઘટનામાં શ્રી શ્રી રવિશંકર બચી ગયા. આ ગોળી વિનય કુમાર નામના ભક્તની જાંઘમાં વાગી, જેનાથી તે ઘાયલ થઈને જમીન પર પડી ગયો. આ દરમિયાન હુમલાવાર ફરાર થઈ ગયા. ગોળીનો અવાજ સંભળાતા જ આશ્રમમાં દોડાદોડી મચી ગઈ. ભક્તોએ શ્રી શ્રીને ઘેરી લીધા.

શ્રી શ્રી એ પછી પ્રેસને એક નિવેદનમાં જણાવ્યુ કે તેમણે ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો. તેમણે જણાવ્યુ કે આશ્રમમાં સુરક્ષાની કોઈ ખાસ વ્યવસ્થા નથી. જેનો ફાયદો ઉઠાવી હુમલાવરે બંદૂક લઈને પ્રવેશ કર્યો હશે. શ્રી શ્રીએ જણાવ્યુ કે તેઓ આશ્રમમાં સુરક્ષા વ્યવસ્થા વધારશે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati