Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ મોદી 'અચ્છે દિન' લાવવામાં સફળ રહેશે ?

શુ મોદી 'અચ્છે દિન' લાવવામાં  સફળ રહેશે ?
નવી દિલ્હી. , શનિવાર, 2 મે 2015 (11:33 IST)
નરેન્દ્ર મોદી સરકારને હવે એક વર્ષ પુરૂ થવાનુ છે. આ સરકારની પ્રથમ વર્ષગાંઠ 26 મે ના રોજ છે. આ અવસર પર વિવિધ ચેનલોએ દેશનો મૂડ જાણવાની કોશિશ કરી છે. આ અંગે વેબદુનિયા પણ પોતાના પાઠકો પાસેથી જાણવા માંગે છે કે શુ મોદી સરકાર સારા દિવસો લાવશે ?  લોકોનું કહેવુ છે કે મોદીએ લોકસભા ચૂંટણી પહેલા જે વચનો આપ્યા હતા.. જે વાતો કરી હતી તે બધી હવે તેઓ ભૂલી ગયા છે.  કેટલાક લોકો કહે છે કે મોદીને સમય આપો.. તો કેટલાક કહે છે કે બધા નેતા ખુરશી મળ્યા પછી એક જેવા હોય છે.  વેબદુનિયા એ ગુજરાતના લોકોને પૂછવા માંગે છે જ્યા મોદીએ 12 વર્ષ સુધી સફળ શાસન કર્યુ છે. ગુજરાતના લોકો મોદીની કાર્યશૈલી સાથે પરિચિત છે. જે ગુજરાતના મોડલને કારણે મોદી એક પીએમ પદ માટે પસંદગી પામ્યા. તો તમે જણાવો શુ  મોદી સરકાર 'અચ્છે દિન' લાવવામાં સફળ થશે ? અમે ગુજરાતના લોકોના વિચારો પણ દેશના લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. તો પછી તમારો કિમતી વિચાર પોલ દ્વારા જણાવવામાં મોડુ ન કરો. નીચે આપેલ પોલમાં તમારા વિચાર પર ક્લિક કરો.
 

Share this Story:

Follow Webdunia gujarati

શુ મોદી સરકાર 'અચ્છે દિન' લાવશે ?