શિવસેનાએ રાષ્ટ્રમંડળ રમતો સાથે જોડાયેલી પરિયોજનાઓમાં કથિત ભ્રષ્ટાચારના કેસની તપાસ સંસદની સંયુક્ત સમિતિ સાથે કરાવવાની માંગ કરી છે.
પ્રધાનમંત્રી મનમોહનસિંહને મોકલેલ એક પત્રમાં પાર્ટી નેતા સંજય રાઉતે કહ્યુ કે રાષ્ટ્રમંડળ રમતો સાથે જોડાયેલ નિર્માણ કાર્યોમા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી સીવીસી રિપોર્ટની પુષ્ઠભૂમિમાં તેની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના યોગ્ય રહેશે.
રાજ્યસભા સદસ્ય રાઉતે શૂન્યકાળમાં સદનમાં આ કેસ ઉઠાવ્યો અને કેસની સીબીઆઈ તરફથી તપાસ કરાવવાની માંગણી કરી.