Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વ્યાજ ઘટાડવા મુખરજીની અપીલ

વ્યાજ ઘટાડવા મુખરજીની અપીલ

વેબ દુનિયા

નવી દિલ્હી , ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2009 (16:42 IST)
N.D

ઉદ્યોગો માટે ગઇ કાલે ત્રીજુ રાહત પેકેજ જાહેર કરી એમાં 30 હજાર કરોડની ટેક્ષમાં રાહત આપનારા નાણામંત્રી પ્રણવ મુખરજીએ વ્યાજ દરમાં ઘટાડો કરવાની બેંકોને અપીલ કરી છે.

વિશ્વમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદી તથા દેશમાં નીચે આવેલા ફુગાવાને ધ્યાનમાં લેતાં આર્થિક પ્રવાહીતા સરળતાથી ચાલતી રહે એ માટે પોતાના વિચારો રજુ કરતાં કેન્દ્રિય નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે કહ્યું હતું કે, આ સમયમાં હવે વ્યાજ દર ઘટાડવા જોઇએ અને આ માટે હું રિઝર્વ બેંક તથા અન્ય બેંકો સાથે આ મુદ્દે વિચાર વિમર્શ કરીશ.

Share this Story:

Follow Webdunia gujarati