મુંબઈ. આવકવેરા વિભાગે ફળોના એક વેપારીના બેંક લોકરમાંથી છ કરોડ રૂપિયા મૂલ્યના સોના અને હીરાના આભૂષણો જપ્ત કર્યા હતા.
આવકવેરા તપાસ શાખાના મહાનિર્દેશક એસ એસ એન મૂર્તિએ જણાવ્યુ હતુ કે, આવકવેરા વિભાગના એક ગુપ્ત સૂચનાના આધાર પર શનિવારે એક સૂકામેવાના વેપારીના ત્યાં છાપો માર્યો હતો. જે દરમિયાન 23 કિલોગ્રામ સોનુ અને હિરાના આભૂષણો મળી આવ્યા હતા.
જેમાં હિરાજડિત કમરપટ્ટો શામેલ હતો. જેનુ વજન 2.4 કિલોગ્રામ હતુ. તેની સાથે 20 હિરા જડિત સોનાની ઘડિયાળો અને 25 હિરા જડિત કલમ જપ્ત કરવામાં આવી હતી.