Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રતલામમાં ચર્ચ આગમાં ભસ્મીભૂત

રતલામમાં ચર્ચ આગમાં ભસ્મીભૂત

ભાષા

રતલામ રેલ્વે સ્ટેશન પર આવેલા 85 વર્ષ જુના સેન્ટ બાર્થલોમિયો ચર્ચ રવિવારે બળીને ખાખ થઈ ગયું હતું. આ સાથે તેની અંદરની તમામ સામગ્રી ધાર્મિક સાહિત્ય, દસ્તાવેજ પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

ચર્ચનાં વડા ફાધર પી.ધુલીયાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ચર્ચમાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ ઘુસી જઈને આગ લગાડી છે. આ આગમાં ચર્ચમાં રાખેલ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ અંગે પોલીસે તપાસ હાથ ધરીને 3 જણાંની ધરપકડ કરી છે. આ આગની મેજીસ્ટ્રેટ તપાસનાં આદેશ આપી દેવામાં આવ્યા છે. તો આ બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષનાં નેતા જમુના દેવીએ તેની કડક શબ્દોમાં નિંદા કરીને મુખ્ય આરોપીઓને પકડવા માંગ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati