Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુપીએએ ગરીબોને લાભ આપ્યો - રાહુલ

યુપીએએ ગરીબોને લાભ આપ્યો - રાહુલ

વાર્તા

કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેન્દ્રની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર તથા રાજ્યની કોંગ્રેસ સરકારે મળીને ગરીબોના હિતો માટે કામ કરી રહી છએ અને સાચા અર્થમાં ગરીબોને લાભ આપ્યો છે.

રાહુલ ગાંધીએ અહીં એક ચૂટણી રેલીને સંબોધતાં કહ્યું હતું કે, યુપીએ સરકારે વિકાસનો સાચો લાભ ગરીબો સુધી પહોંચાડ્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં ગરીબો તરફ દુર્લક્ષતા સેવતાં કેન્દ્રની એનડીએ સરકાર તથા રાજ્યની તેલુગુદેશમની પાર્ટીની સરકારને ગત 2004ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે કહ્યું કે, એનડીએ સરકારે વર્ષ 2004ની ચૂંટણીમાં ભારત ઉદયનો નારો આપો ગરીબોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે લોકો ભરમાયા ન હતા. તેમણે કહ્યું કે, દેશમાં ગરીબ લોકોના ઉત્સાહથી જ દેશ વિશ્વમાં નિરંતર પ્રગતિ કરી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati