Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી હત્યારો અને રાહુલ મૂર્ખ છે - કેજરીવાલ

મોદી હત્યારો અને રાહુલ મૂર્ખ છે - કેજરીવાલ
નવી દિલ્હી. , મંગળવાર, 28 જાન્યુઆરી 2014 (11:44 IST)
P.R
શુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મૂર્ખ અને બીજેપીને પીએમ કેંડિડેટ નરેન્દ્ર મોદીને હત્યારા માને છે ? કંઈક આવો જ સંદેશ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક રી-ટ્વીટ દ્વારા વિવાદોમાં સપડાય ગયુ છે.

સંગીતકાર વિશાલ ડડલાનીએ ન્યૂઝ ચેનલ 'ટાઈમ્સ નાઉ' પર રાહુલ ગાંધીના ઈંટરવ્યુ બાદ એક ટ્વીટ કર્યુ, 'અમે એક મૂર્ખ અને હત્યારાની વચ્ચે ફસાય ગયા છે. હવે દેશનુ શુ થશે ? આ ટ્વીટને કેજરીવાલે તરત જ રી-ટ્વીટ કરી દીધુ.

ડડલાનીએ રાહુલ ગાંધીના ઈંટરવ્યુ પર નિરાશા બતાવતા તેના પહેલા જ અનેક ટ્વીટ કર્યા હતા. એક ટ્વીટ એ પણ હતુ કે રાહુલ ગાંધી જ્યારે પણ મોઢુ ખોલે છે તેઓ વધુ સીટો ગુમાવી દે છે. તેથી તેમણે ચૂપ રહેવુ જોઈએ.

ડડલાનીના આ ટ્વીટમાં રાહુલ અને મોદીનું નામ નથી. પણ આ બંને નેતાઓના સંદર્ભમાં જ જોવાય રહ્યુ છે. ટ્વીટની ભાષા આપત્તિજનક થયા બાદ પણ કેજરીવાલે તેને રી-ટ્વીટ કરી વિવાદોને જન્મ આપ્યો.

આ રી-ટ્વીટને લઈને બીજેપીએ કેજરીવાલની નિંદા કરી છે. બીજેપી લીડર નિર્મળા સીતારામનએ કેજરીવાલને પોતાના ટ્વીટ્સ વિશે સાવધાન રહેવાની ચેતાવણી આપતા કહ્યુ કે તેમણે પબ્લિક ડોમેનમાં પોતાની ભાષા પર કાબૂ રાખવો જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati