કોંગ્રેસે વડાપ્રધાન મનમોહનસિંહ વિરૂદ્ધ કરેલી ટીપ્પણી બદલ મોદીની કડક આલોચના કરી હતી.
બાયપાસ સર્જરી બાદ ઓફિસમાં ગેરહાજર રહેવા બદલ મોદીએ કરેલી ટીપ્પણીને કોંગ્રેસે નીચલા સ્તરની પ્રતિક્રિયા ગણાવી હતી.
કોંગ્રેસનાં પ્રવક્તા અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે મોદી જેવા રાજનીતિજ્ઞ વડાપ્રધાન જેવી વૈશ્વિક ખ્યાતિ ધરાવતાં વ્યક્તિની આલોચના કરે તે કોઈરીતે યોગ્ય નથી. તેનાથી ભાજપ અને મોદીનો અસલી ચહેરો દેખાય છે.