Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીને મારવાની અલકાયદાએ ધમકી આપી

જયલલિતા અને મોદીને મારવાની ધમકી

મોદીને મારવાની અલકાયદાએ ધમકી આપી
ચેન્નઈ. , ગુરુવાર, 28 જુલાઈ 2011 (12:18 IST)
P.R
આતંકી સંગઠન અલકાયદાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તમિલનાડુની સીએમ જયલલિતાને જાનથી મારવાની ધમકી આપી છે. બુધવારે ચેન્નઈથી મોકલેલ એવા બે પત્ર જપ્ત કરવામાં આવ્યા જેમા બંને નેતાઓ ઉપરાંત કેરલના પદ્મનાભસ્વામે મંદિર અને ગુરૂવ્યાવૂર મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

અંગ્રેજીમાં મોકલેલ આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે તેને અલકાયદાએ મોકલેલ છે. ચેન્નઈથી પોસ્ટ કરવામં આવેલ આ પત્રોને ગુરુવ્યાવૂર સર્કલના ઈંસપેક્ટરના નામે મોકલવામાં આવ્યો છે. પત્રમાં ગુજરાત અને તમિલનાડુના મુખ્યમંત્રીઓને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે.

ધમકી ભરેલ પત્ર મળતા જ સ્થાનીક પોલીસના બોમ્બ નિરોધક દસ્તાની સાથે આસપાસના વિસ્તારોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. કેરલના બધા મોટા મંદિરોમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બેહિસાબ મિલકત મળ્યા પછી ચર્ચામાં આવેલ પદ્મનાભસ્વામી મંદિરની સંવેદનશીલતાને જોતા તેની વિશેષ સુરક્ષા વધારવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati