Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીના વખાણ કરવાના પૈસા ન મળ્યા એટલે અમિતાભ નારાજ - એનસીપી

મોદીના વખાણ કરવાના પૈસા ન મળ્યા એટલે અમિતાભ નારાજ - એનસીપી
, ગુરુવાર, 22 ઑગસ્ટ 2013 (18:43 IST)
P.R
ગુજરાતના પર્યટનનો પ્રચાર કરનારા અમિતાભ બચ્ચન પ્રદેશના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ માટે પોતાના અવાજના ખોટા ઉપયોગથી નારાજ છે. પણ શરદ પવારની પાર્ટી એનસીપીએ આને માત્ર એક નાટક કહ્યુ છે.

એનસીપી પ્રવક્તા નવાબ મલિકે અમિતાભ પર નિશાન તાકતા કહ્યુ કે અમિતાભને આ કામના પૈસા નહી મળ્યા હોય તેથી તેઓ નારાજ છે. જો તેમને પૈસા મળી જશે તો તેઓ ચૂપ થઈ જશે.

વિવાદને લઈને અમિતાભ પર તીવ્ર હુમલો બોલતા નવાબ મલિકે કહ્યુ, અમિતાભ બચ્ચન પૈસા માટે બધુ જ કરે છે. ક્યારેક તેઓ સમાજવાદી પાર્ટીનો ઝંડો લહેરાવીને કહે છે.. યૂપી મે હૈ દમ અને ક્યારેક ગુજરાતના કચ્છમાં જઈને ત્યા આવવાનું આમંત્રણ આપે છે, કદાચ તેમને મોદીના વખાણના પૈસા નહી મળ્યા હોય તેથી તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જો તેમને આ કામના પૈસા મળી જશે તો તેઓ ચુપ થઈ જશે. બિગ બી જો આ મુદ્દા પર ગંભીર છે તો તેઓ સાઈબર ક્રાઈમ બાંચ પાસે કેમ ન ગયા.'

કોઈ વ્યક્તિએ યૂટ્યૂબ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમા બિગ બીને મોદીના વખાણ કરતા સાંભળી શકાય છે. જેના પર બિગ બીએ આપત્તિ બતાવી. મોદીએ પણ ટ્વીટ કર્યુ કે 'વીડિયો બનાવનારે તરત જ અમિતાભજીની માફી માંગી લેવી જોઈએ.'

Share this Story:

Follow Webdunia gujarati