ભારતીય જનશક્તિ પાર્ટીનાં અધ્યક્ષા ઉમા ભારતીએ બસપા સુપ્રિમો માયાવતીને લાલકૃષ્ણ અડવાણી બનાવવામાં સકારાત્મક ભૂમિકા ભજવવાની સલાહ આપી છે.
બાબા વિશ્વનાથ અને અન્નપૂર્ણા મંદિરોમાં દર્શન અને પૂજા બાદ ઉમા ભારતીએ જણાવ્યું હતું કે દેશને બહેતર શાસન ભાજપ અપાવી શકે છે. તેમજ માયાવતી ખુદ કોંગ્રેસ અને સપાને પોતાના માટે ખતરો માની રહી છે. ત્યારે તેમની પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તેમજ ભાજપનાં શાસનમાં ગરીબી,બેરોજગારી અને મોંઘવારી પર અંકુશ આવી શકે છે.
ઉમાએ યુપીએ સરકારની ટીકા કરતાં જણાવ્યુ હતું કે તેના શાસનમાં બેરોજગારી અને મોંઘવારીએ માઝા મુકી છે. લોકોનું જીવવું પણ અઘરૂ થઈ ગયું છે.