Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માયાવતી-અનિલ મતદાન કરવામાં અવ્વલ

માયાવતી-અનિલ મતદાન કરવામાં અવ્વલ

ભાષા

નવી દિલ્હી , ગુરુવાર, 30 એપ્રિલ 2009 (12:26 IST)
ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી તેમજ મિલિન્દ દેવરા, રામ નાઈક તથા અખિલેશ દાસ જેવા પ્રમુખ ઉમેદવારોએ લોકસભાનાં ત્રીજા ચરણમાં વહેલી સવારે પોતાનાં મતદાનનો ઉપયોગ કરી લીધો હતો.

માયાવતીએ લખનઉ ખાતે પોતાના મતદાનનો પ્રયોગ કરીને મથુરા, બુલંદશહેર જેવા વિસ્તારમાં ચુંટણી પ્રચાર કરવા નીકળી ગયા હતા. માયાવતીએ પોતાના સમર્થકોને અપીલ કરી હતી કે પહેલાં મતદાન કરો, ત્યારબાદ પોતાનું કામ શરૂ કરો.

દક્ષિણ મુંબઈમાં અનિલ અંબાણીએ જોગીંગ કરવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં પોતાનાં મતદાન કેન્દ્રમાં વહેલી સવારે આઠ વાગ્યા પહેલાં મતદાન કરી દીધું હતું. તો ફિલ્મી અભિનેત્રી સોનમ કપૂરે પણ પોતાના મતદાનનો પ્રથમવાર ઉપયોગ કર્યો હતો. આવી રીતે દક્ષિણ મુંબઈનાં કોંગ્રેસનાં ઉમેદવાર મિલીન્દ દેવરાએ પણ વહેલી સવારે મતદાન કરીને યુવા મતદારોને પ્રોત્સાહિત કર્યા હતા. સામાન્ય રીતે દક્ષિણ મુંબઈ જેવા હાઈપ્રોફાઈલ વિસ્તારમાં મતદાન ઓછું થતું હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati