મલકાનગિરી. ઓરિસ્સાના દક્ષિણી મલકાનગિરી જિલ્લામાં આજે માઓવાદીઓએ એક સ્થાનીક નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસ અધિક્ષક એસ કે ગઝભિયેએ જણાવ્યુ હતુ કે, બીજદના જિલ્લા અધ્યક્ષ પ્રવિર કુમાર મોહંતી ગઈકાલે રાત્રે એમ વી-79 ગામના બજારમાંથી પસાર થતાં હતા.
તે સમયે હથિયારધારી માઓવાદીઓએ તેમનુ અપહરણ કરી લીધુ હતુ અને જંગલમાં લઈ ગયા હતા. જ્યાં વહેલી સવારે તેમની ગોળીમારીને હત્યા કરી દેવાઈ હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મોહંતનો મૃતદેહ કબજે કર્યો હતો. પોલીસે માઓવાદીઓને ઝડપી પાડવા માટે ઠેર-ઠેર નાકાબંધી કરી દીધી હતી.