રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે મુંબઈની બસમાં પટનાનાં એક યુવકને મારી નાંખવાના બનાવ અંગે નોટીસ ફટકારી બે અઠવાડિયામાં રીપોર્ટ આપવા આદેશ કર્યો છે.
આયોગે 22 ઓક્ટોબરનાં રોજ રાહુલ નામના બિહારનાં યુવાનનું મોત થયું હતું. તે અંગે મહારાષ્ટ્રનાં ડીજીપી અને મુંબઈનાં પોલીસ કમિશ્નરને રીપોર્ટ આપવા જણાવ્યું છે. તેમજ રાહુલનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ પણ જમા કરાવવા કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ રાજનાં મોત બાદ બિહાર અને મહારાષ્ટ્રનાં નેતાઓ વચ્ચે વાકયુધ્ધ શરૂ થઈ ગયું હતું. બુધવારે પટનામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે.