રેલ મંત્રી મમતા બેનર્જી આજે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરીને રેલ બજેટ પ્રસ્તાવો પર ચર્ચા કરી શકે છે.
કોલકાતાથી બુધવારે દિલ્લી પહોંચેલી મમતાએ રેલવે બોર્ડના અધિકારીઓ સાથે કેટલીયે બેઠક કરીને રેલ બજેટને અંતિમ રૂપ આપ્યું. રેલ બજેટ ત્રણ જુલાઈના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યં કે મમતા તેમને તમામ ભેટ પર વડાપ્રધાનની મંજૂરી લેવા ઈચ્છે છે જેની તે રેલ બજેટમાં જાહેરાત કરશે.
મમતાએ નાણામંત્રી પ્રણવ મુખર્જી અને યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ આહુવાલિયા સાથે પણ મુલાકાત કરી પ્રસ્તાવો વિષે ચર્ચા કરી.