ભાકપાના ઉપ મહાસચિવ અને સાંસદ સુખરમ સુધાકર રેડ્ડીએ આજે કહ્યું હતું કે, મનમોહનસિંહે પોતાની તથા કોંગ્રેસની પ્રતિભા જાળવી રાખવા રાજીનામુ આપી દેવું જોઇએ.
રેડ્ડીએ કોંગ્રેસ ઉપર સરકાર બચાવવા માટે સાંસદોની લેતી-દેતી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ પોતાના નૈતિક મૂલ્યો તથા પોતાની તેમજ પાર્ટીની પ્રતિભા જાળવી રાખવા તુરંત રાજીનામું આપી દેવું જોઇએ.
પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને ભારત-અમેરિકા પરમાણુ કરાર મામલે સંસદમાં બહુમત નથી. વિશ્વાસ મત દરમિયાન કોંગ્રેસે હારનો સામનો કરવો પડશે.
વધુમાં તેમણે કહ્યું કે, વામપંથી દળ પરમાણું કરારનો વિરોધ નથી કરતું પરંતુ અમે એવા કરારનો વિરોધ કરી રહ્યા છીએ જે જનતાના હિતમાં નથી.