Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધર ટેરેસાનો અસલી મકસદ ધર્માતરણ હતો - મોહન ભાગવત

મધર ટેરેસાનો અસલી મકસદ ધર્માતરણ હતો - મોહન ભાગવત
ભરતપુર. , મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (11:41 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે મધર ટેરેસા દ્વારા ગરીબો માટે કરવામાં આવેલ સેવા કાર્યોનો મુખ્ય હેતુ ધર્મ પરિવર્તન હતો. સોમવારે એક એનજીઓ અપના ઘર દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાગવતે આ વાત કરી. 
 
ભાગવતે કહ્યુ કે સવાલ ધર્મપરિવર્તનનો નથી પણ આ સેવાની આડમાં થાય છે. આવામાં સેવા દૂષિત થઈ જાય છે. પણ અહી ઉદ્દેશ્ય સંપુર્ણ રીતે ગરીબો અને નિ:સહાયોની સેવા કરવાનો છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ભરતપુરથી આઠ કિલોમીટર દૂર ગામ બજહેરામાં અપના ઘર સ્વયંસેવી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ મહિલા સદન અને શિશુ બાલગૃહના ઉદ્દઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ હતા. 

Share this Story:

Follow Webdunia gujarati