મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા તાજેતરમાં થયેલી ઉત્તર ભારતીઓ પર હિંસાનો ઉગ્ર વિરોધ બિહારમાં બુધવારે જોવા મળ્યો હતો. એક બિહારી વિદ્યાર્થીનું મોત નિપજવાને કારણે સમગ્ર બિહારમાં રાજ ઠાકરે વિરૂદ્ધ દેખાવો થઈ રહ્યા છે. જેમાં બુધવારે એક ટ્રેનને સળગાવી દેવાઈ હતી. જેના પગલે બિહાર જતી 8 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.