શિવસેના પ્રમુખ બાલ ઠાકરેને તાવની ફરીયાદ બાદ મુંબઈની લીલાવતી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ગુરૂવારે બપોરે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુત્રોનાં જણાવ્યા મુજબ ગુરૂવારે બપોરે બે વાગે તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
ડોક્ટરોએ તેમની હાલત નિયંત્રણ હેઠળ હોવાનું જણાવ્યું છે.